શ્રીવલ્લભાષ્ટક

શ્રીમદ્-વૃન્દાવનેન્દુ-પ્રકટિત-રસિકાનન્દ-સન્દોહરૂપ-

સ્ફૂર્જદ્-રાસાદિલીલામૃતજલધિભરાક્રાન્ત-સર્વોઽપિ શશ્વત્ ।।

તસ્યૈવાત્માનુભાવ-પ્રકટન-હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ્

ભૂમૌ યઃ સન્મનુષ્યાકૃતિરતિ-કરુણસ્તં પ્રપદ્યે હુતાશમ્ ।।૧।।

 

નાવિર્ભૂયાદ્ ભવાંશ્ચેદધિ-ધરણિ-તલં ભૂતનાથોદિતાસન્

માર્ગધ્વાન્તાન્ધતુલ્યા નિગમપથગતૌ દેવસર્ગેઽપિ જાતાઃ ।।

ઘોષાધીશં તદેમે કથમપિ મનુજાઃ પ્રાપ્નુયુર્નૈવ દૈવી

સૃષ્ટિર્વ્યર્થા ચ ભૂયાન્નિજ-ફલ-રહિતા દેવ વૈશ્વાનરૈષા ।।૨।।

 

નહ્યન્યો વાગધીશાચ્છ્રુતિગણવચસાં ભાવમાજ્ઞાતુમીષ્ટે

યસ્માત્ સાધ્વી સ્વભાવં પ્રકટયતિ વધૂરગ્રતઃ પત્યુરેવ ।।

તસ્માચ્છ્રીવલ્લભાખ્ય ત્વદુદિતવચનાદન્યથા રૂપયન્તિ

ભ્રાન્તા યે તે નિસર્ગત્રિદશરિપુતયા કેવલાન્ધન્તમોગાઃ ।।૩।।

 

પ્રાદુર્ભૂતેન ભૂમૌ વ્રજપતિ-ચરણામ્ભોજ-સેવાખ્ય-વર્ત્મ-

પ્રાકટ્યં યત્ કૃતં તે તદુત નિજકૃતે શ્રીહુતાશેતિ મન્યે ।।

યસ્માદસ્મિન્ સ્થિતો યત્ કિમપિ કથમપિ ક્વાપ્યુપાહર્તુમિચ્છ-

ત્યદ્ધા તદ્ ગોપિકેશઃ સ્વવદનકમલે ચારુહાસે કરોતિ ।।૪।।

 

ઉષ્ણત્વૈક-સ્વભાવોઽપ્યતિ-શિશિરવચઃપુઞ્જ-પીયૂષવૃષ્ટિર્-

આર્તેષ્વત્યુગ્ર-મોહાસુર-નૃષુ યુગપત્ તાપમપ્યત્ર કુર્વન્ ।।

સ્વસ્મિન્ કૃષ્ણાસ્યતાં ત્વં પ્રકટયસિ ચ નો ભૂતદેવત્વમેતદ્

યસ્માદાનન્દદં શ્રીવ્રજજનનિચયે નાશકં ચાસુરાગ્નેઃ ।।૫।।

 

આમ્નાયોક્તં યદમ્ભો ભવનમનલતસ્તચ્ચ સત્યં વિભો યત્

સર્ગાદૌ ભૂતરૂપાદભવદનલતઃ પુષ્કરં ભૂતરૂપમ્ ।।

આનન્દૈકસ્વરૂપાત્ ત્વદધિભુ યદભૂત્ કૃષ્ણસેવારસાબ્ધિશ્

ચાનન્દૈક-સ્વરૂપસ્તદખિલમુચિતં હેતુસામ્યં હિ કાર્યે ।।૬।।

 

સ્વામિન્ શ્રીવલ્લભાગ્ને ! ક્ષણમપિ ભવતઃ સન્નિધાને કૃપાતઃ

પ્રાણપ્રેષ્ઠ-વ્રજાધીશ્વર-વદન-દિદૃક્ષાર્તિ-તાપો જનેષુ ।।

યત્પ્રાર્દુભાવમાપ્નોત્યુચિતતરમિદં યત્તુ પશ્ચાદપીત્થં

દૃષ્ટેઽપ્યસ્મિન્ મુખેન્દ્રૌ પ્રચુરતરમુદેત્યેવ તચ્ચિત્રમેતત્ ।।૭।।

 

અજ્ઞાનાદ્યન્ધકાર-પ્રશમનપટુતા-ખ્યાપનાય ત્રિલોક્યમ્

અગ્નિત્વં વર્ણિતં તે કવિભિરપિ સદા વસ્તુતઃ કૃષ્ણએવ ।।

પ્રાદુર્ભૂતો ભવાનિત્યનુભવ-નિગમાદ્યુક્ત-માનૈરવેત્ય

ત્વાં શ્રીશ્રીવલ્લભેમે નિખિલબુધજનાઃ ગોકુલેશં ભજન્તે ।।૮।।

 

।। ઇતિ શ્રીમદ્​વિટ્ઠલદીક્ષિતવિરચિતં શ્રીવલ્લભાષ્ટકં સમ્પૂર્ણમ્ ।।

શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્ર (શ્રીસપ્તશ્લોકી)

શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્રમાં શ્રીગુસાંઈજીએ શ્રીમહાપ્રભુજીના ગુણોનું વર્ણન કર્યું છે. પહેલા શ્લોકમાં ધર્મીસ્વરૂપનું વર્ણન અને ત્યારપછીના શ્લોકોમાં શ્રીવલ્લભના છ ગુણ – ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે.

(છંદ-શિખરિણી)

સ્ફુરત-કૃષ્ણ-પ્રેમામૃત-રસ-ભરેણાતિ-ભરિતા,

વિહારાન્ કુર્વાણા વ્રજપતિ-વિહારાબ્ધિષુ સદા ।

પ્રિયા ગોપીભર્તુઃ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ,

પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિઃ સકરુણા ।।૧।।

(છંદ-આર્યા)

શ્રીભાગવત–પ્રતિપદ–મણિવર–ભાવાંશુ–ભૂષિતા મૂર્તિઃ ।

શ્રીવલ્લભાભિધા નસ્તનોતુ નિજદાસસ્યસૌભાગ્યમ્ ।।૨।।

(છંદ-શાર્દૂલવિક્રીડિત)

માયાવાદતમોનિરસ્ય મધુભિત્–સેવાખ્ય-વર્ત્માદ્​ભુતમ્

શ્રીમદ્-ગોકુલનાથ-સંગમસુધા-સમ્પ્રાપકં તત્ક્ષણાત્ ।

દુષ્પાપં પ્રકટીચકાર કરુણા-રાગાતિ-સમ્મોહનઃ

સ શ્રીવલ્લભ-ભાનુરુલ્લસતિ યઃ શ્રીવલ્લવીશાંતરઃ ।।૩।।

(છંદ-શિખરિણી)

ક્વચિત્ પાણ્ડિત્યં ચેન્ન નિગમગતિઃ સાપિ યદિ ન

ક્રિયા સા સાપિ સ્યાત્ યદિ ન હરિમાર્ગે પરિચયઃ ।

યદિ સ્યાત્ સોપિ શ્રીવ્રજપતિ-રતિર્ નેતિ નિખિલૈઃ

ગુણૈરન્યઃ કો વા વિલસતિ વિના વલ્લભવરમ્ ।।૪।।

(છંદ-શાર્દૂલવિક્રીડિત)

માયાવાદિ-કરીન્દ્ર-દર્પ-દલનેનાસ્યેન્દુ-રાજોદ્​ગતઃ

શ્રીમદ્​-ભાગવતાખ્ય-દુર્લભ-સુધા–વર્ષેણ વેદોક્તિભિઃ ।

રાધાવલ્લભ-સેવયા તદુચિત–પ્રેમ્ણોપદેશૈરપિ

શ્રીમદ્-વલ્લભનામધેય-સદૃશો, ભાવી ન ભૂતોઽસ્ત્યપિ ।।૫।।

(છંદ-પૃથ્વી)

યદઙ્​ઘ્રિ-નખ-મણ્ડલ–પ્રસૃત-વારિ-પીયૂષ-યુગ્-

વરાઙ્ગ-હૃદયૈઃ કલિસ્ તૃણમિવેહ તુચ્છીકૃતઃ ।

વ્રજાધિપતિરિન્દિરા – પ્રભૃતિ-મૃગ્ય-પાદામ્બુજઃ

ક્ષણેન પરિતોષિતસ્તદનુગત્વમેવાસ્તુ મે ।।૬।।

(છંદ-પૃથ્વી)

અઘૌઘ-તમસાવૃતં કલિ-ભુજઙ્ગમાસાદિતમ્

જગદ્ વિષય-સાગરે, પતિતમસ્વધર્મે રતમ્ ।

યદીક્ષણ-સુધા-નિધિ સમુદિતોઽનુકમ્પામૃતાદ્

અમૃત્યુમકરોત્ ક્ષણાદરણમસ્તુ મે તત્પદમ્ ।।૭।।

।। ઇતિ શ્રીવિઠ્ઠલેશ્વરવિરચિતં શ્રીસ્ફુરત્કૃષણપ્રેમામૃતસ્તોત્રં સમ્પૂર્ણમ્ ।।

શ્રીહરિરાયજી કૃત પ્રાતઃ સ્મરણમ્

(છંદ – વંસતતિલકા)

પ્રાતઃ સ્મરેદ્ ભગવતો વર વિઠ્ઠલસ્ય,

પાદાર વિંદ-યુગલં સકલાર્થસિદ્​ધ્યૈ ।

યો વૈ વિતર્ક-તમસા પિહિતં સ્વભક્તં,

પ્રીતઃશમા દિવ-પુરોદિત-તિગ્મ રશ્મિઃ ।।૧।।

પ્રાતઃ સ્મરેન્, નમન-નિર્વૃતિદં મુરારેઃ,

પૂર્ણાવતાર-વર વિઠ્ઠલ પાદ પદ્મમ્ ।

માયા વિકૃત્ય-ગહનં ગત બંધુ લોકે,

યો વૈ સ્વમાર્ગ-મનયત્ કૃપયા પ્રપન્નમ્ ।।૨।।

પ્રાતર્ભજે-દમલ મૂર્તિ મનંત શકતેઃ,

શ્રીવિઠ્ઠલસ્ય જન તાપ-હરસ્ય નિત્યમ્ ।

યો વૈ જનસ્ય શતજન્મ-કૃતા પરાધં,

પાદા નતસ્ય કૃપયા-પનુનોદ સત્યમ્ ।।૩।।

પ્રાતર્નતા ભજત ભક્ત જનાઃ સશિષ્યા,

નારાયણં નરવરં દ્વિજ વિઠ્ઠલેશમ્ ।

ધર્માર્થ કામ ભવ-મોક્ષ દમં હસોરિં,

સંસાર દુઃખ શમનં ગુરુ-માદિ દેવમ્ ।।૪।।

પ્રાતર્જના, ગદત, નામ નરો ત્તમસ્ય,

શ્રીવિઠ્ઠલસ્ય હરિ-વલ્લભ-વલ્લભસ્ય ।

ઇષ્ટાર્થદં સુખ કરં મતિ માનદં ચ,

સર્વાઘ શોક શમનં ગદતો નરસ્ય ।।૫।।

યઃ શ્લોક પંચક-મિદં સતતં પઠેચ્યેત્,

સ સ્યાત્ સુખી, સુવિષયી વિદુષાં વરિષ્ઠઃ ।

દેવો પદેવ ગણ ભીતિ હરં ચ હારં,

સર્વા વતાર શમનં હરિ તોષણં ચ ।।૬।।

।। ઇતિ શ્રીહરિદાસોદિતં પ્રાતઃ સ્મરણં સંપૂર્ણમ્ ।।

શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્

।। શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્ ।।


રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી


[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Girirajdharyastakam.mp3|titles=Girirajdharyastakam]

(સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ)

સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા.


ભક્તાભિલાષાચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશોવિસારી ।

કુમારતાનન્દિતઘોષનારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૧।।

ભક્તની ઇચ્છા પ્રમાણે વર્તનારા, બાલલીલામાં દૂધ વગેરેની ચોરી કરી યશનો પ્રચાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ પમાડનારા, એવા ગિરિરાજધારી શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૧)

વ્રજાંગનાવૃંદસદાવિહારી, અંગૈર્ગુહાગારતમોપહારી ।

ક્રીડારસાવેશતમોડભિસારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૨।।

વ્રજની ગોપીઓના યૂથમાં હંમેશાં વિહાર કરનારા, પોતાના શ્રીઅંગના અવયવોના તેજથી ઘરના આંગણાના અંધકારને દૂર કરનારા, રાસક્રીડાના રસના આવેશથી અજ્ઞાનને હરનારા એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૨)

વેણુસ્વનાનંદિતપન્નગારી, રસાતલાનૃત્યપદપ્રચારી ।

ક્રીડન્ વયસ્યાકૃતિદૈત્યમારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૩।।

વાંસળીના શબ્દથી મયૂરોને નચાવનારા, રસાતલમાં પણ નૃત્ય પદને પ્રસારનારા, ક્રીડામાં વત્સાસુર દૈત્યનો સંહાર કરનારા, એવા શ્રીગિરિરાજધરણે શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૩)

પુલિન્દદારાહિતશમ્બરારી, રમાસદોદારદયાપ્રકારી ।

ગોવર્ધનેકન્દફલોપહારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૪।।

ભીલડીઓના હિતને માટે શંબર નામના દૈત્યને મારનારા, લક્ષ્મીજી ઉપર પરમ દયા કરનારા, ગોવર્ધન પર્વતમાં કન્દ અને ફળોને આરોગનારા, એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૪)

કલિન્દજાકૂલદુકૂલહારી, કુમારિકાકામકલાવિતારી ।

વૃન્દાવને ગોધનવૃન્દચારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૫।।

યમુનાજીના તીર ઉપર કુમારિકાઓના ચીરને હરણ કરનારા, તેમને કામકલાપૂર્વક મનોરથોનું દાન કરનારા, વૃંદાવનમાં ગાયોના ટોળામાં ફરનારા, એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૫)

વ્રજેન્દ્રસર્વાધિકશર્મકારી, મહેન્દ્રગર્વાધિકગર્વહારી ।

વૃન્દાવને કન્દફલોપહારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૬।।

નંદરાયજીનું અધિક કલ્યાણ કરનારા, ઈન્દ્રના પરમ ગર્વને દૂર કરનારા, વૃન્દાવનમાં કંદ અને ફળોને આરોગનારા, એવા શ્રી ગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૬)

મનઃકલાનાથતમોવિદારી, બંશીરવાકારિતતત્કુમારિઃ ।

રાસોત્સવોદ્વેલ્લરસાબ્ધિસારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૭।।

મનમાં રહેલા અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનારા ચન્દ્ર જેવા, બંશીના શબ્દથી વ્રજકુમારિકાઓને બોલાવનારા, રાસમહોત્સવમાં ઊછળી રહેલા રસસાગરમાં વિહરતા, એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૭)

મત્તદ્વિપોદામગતાનુકારી, લુંઠત્પ્રસૂનાપ્રપદીનહારી ।

રામોરસસ્પર્શકરપ્રસારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૮।।

ઉન્મત્ત ગજેન્દ્રના સરખી ચાલથી ચાલનારા, પગની પાની સુધી ઝૂકી રહેલા પુષ્પોના દિવ્ય હારવાળા, શ્રીલક્ષ્મીજીના વક્ષઃસ્થળને સ્પર્શ કરવા કરકમલને લંબાવી રહેલા, એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૮)

।। ઇતિ શ્રીવલ્લભાચાર્યવિરચિતં શ્રીગિરિરાજધાર્યાષ્ટકમ્ સમાપ્તમ્ ।।

મધુરાષ્ટકમ્

।। મધુરાષ્ટકમ્ ।।



રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી


(છંદઃ તોટક)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Adharam-Madhuram_Rupa-Gandhi.mp3|titles=Adharam Madhuram_Rupa Gandhi]

(સ્વરઃ રૂપા ગાંધી)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Madhurastakam.mp3|titles=Madhurastakam]

(સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ)

સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા.


અધરં મધુરં વદનં મધુરં, નયનં મધુરં હસિતં મધુરમ્ ।

હૃદયં મધુરં ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૧।।


હોઠ મધુર છે. મુખ મધુર છે. આંખ મધુર છે. હાસ્ય મધુર છે. હૃદય મધુર છે. ગમન મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૧)

વચનં મધુરં ચરિતં મધુરં, વસનં મધુરં વલિતં મધુરમ્ ।

ચલિતં મધુરં ભ્રમિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૨।।


વચન મધુર છે. ચરિત્ર મધુર છે. વસ્ત્ર મધુર છે. ચેષ્ટાઓ મધુર છે. ચાલ મધુર છે. ભ્રમણ મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૨)

વેણુર્મધુરો રેણુર્મધુરઃ, પાણિર્મધુરઃ પાદૌ મધુરૌ ।

નૃત્યં મધુરં સખ્યં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૩।।


પ્રભુની વેણુ, ચરણની રજ, શ્રીહસ્ત, ચરણારવિંદ, નૃત્ય અને મૈત્રી બધું જ મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૩)

ગીતં મધુરં પીતં મધુરં, ભુક્તં મધુરં સુપ્તં મધુરમ્ ।

રૂપં મધુરં તિલંક મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૪।।


ગીત (ગાવાનું) મધુર છે. પીવાનું મધુર છે. ખાવાનું મધુર છે. શયન મધુર છે. સ્વરૂપ મધુર છે. તિલક મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૪)

કરણં મધુરં તરણં મધુરં, હરણં મધુરં રમણં મધુરમ્ ।

વમિતં મધુરં શમિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૫।।

કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, રમવું મધુર છે, વમન મધુર છે, શાંત થવું મધુર છે, મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૫)

ગુંજા મધુરા માલા મધુરા, યમુના મધુરા વીચી મધુરા ।

સલિલં મધુરં કમલં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૬।।

ગુંજા મધુર છે. માળા મધુર છે. શ્રીયમુનાજી અને તેમાં ઉઠતા વીચી એટલે કે તરંગો મધુર છે. શ્રીયમુનાજીનું જળ (સલિલ) અને તેમાં ઊગેલા કમળ મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૬)

ગોપી મધુરા લીલા મધુરા, યુક્તં મધુરં મુક્તં મધુરં ।

દૃષ્ટં મધુરં શિષ્ટં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૭।।

શ્રીકૃષ્ણનાં ગોપીજનો અને તેમની બાલલીલાઓ મધુર છે. તેમની યુક્તિઓ અને સંયોગ મધુર છે. મુક્તિ મધુર છે. તેમનું અવલોકન અને શાસન પણ મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે.  (૭)

ગોપા મધુરા ગાવો મધુરા, યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા ।

દલિતં મધુરં ફલિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૮।।

શ્રીકૃષ્ણના સખાઓ ગોપબાલકો, ગોચારણમાં પ્રભુની સાથે જતી ગાયો, ગાયોને હાંકવા માટે વપરાતી લાકડી, પ્રભુની ગોકુલ-વ્રજની દૈવી સૃષ્ટિ, પ્રભુ દ્વારા થયેલું અસુરોનું દલન (દલન એટલે દૈત્યોને મારવાની ક્રિયા), પ્રભુએ વ્રજભક્તોને કરેલું ફલદાન તેમજ મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૮)

શ્રીવલ્લભશરણાષ્ટકમ્

શ્રીવલ્લભશરણાષ્ટકમ્

રચના – શ્રીહરિરાયજી

છંદ – અનુષ્ટુપ

નિઃસાધન જનોધ્ધાર પ્રકટીકૃતઃ ।

ગોકુલેશસ્વરૂપઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૧।।

નિઃસાધન મનુષ્યોનો ઉધ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રીગોકુલેશ સ્વરૂપ એવા શ્રીવલ્લભ (શ્રીમહાપ્રભુજી) મારો આશ્રય છે. (૧)

ભજનાનંદ – દાનાર્થં પુષ્ટિમાર્ગપ્રકાશકઃ ।

કરુણાવરણીયઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૨।।

ભક્તોને સેવાના આનંદનું દાન કરવા માટે પુષ્ટિ (અનુગ્રહ) માર્ગને પ્રકટ કરનારા, કરુણા (દીનતા)થી પ્રાપ્ત કરી શકાય એવા શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૨)

સ્વામિનીભાવ-સંયુક્ત-ભગવદ્​ભાવ-ભાવિતઃ ।

અત્યલૌકિકમૂર્તિઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૩।।

શ્રીસ્વામિનીજીના ભાવથી યુક્ત તથા ભગવદ્ ભાવથી ભાવયુક્ત, અતિ અલૌકિક સ્વરૂપવાન શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૩)

શ્રીકૃષ્ણવદનાનંદો વિયોગાનલમૂર્તિમાન્ ।

ભક્તિમાર્ગાબ્જ-ભાનુઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૨।।

સદાનંદ શ્રીકૃષ્ણના મુખારવિંદના આનંદરૂપ, વિયોગરૂપી અલૌકિક અગ્નિસ્વરૂપ, ભક્તિમાર્ગ રૂપી કમળને વિકસાવનાર સૂર્યરૂપ શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૪)

રાસલીલારસભર-સમાક્રાન્તાઽખિલાંગભૃત ।

ભાવરૂપાઽખિલાંગઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૫।।

રાસલીલાના દિવ્ય રસથી સૌ ભક્તોને સારી રીતે રસપૂર્ણ કરનારા, ભાવાત્મક સર્વ અંગોવાળા  શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૫)

શ્રીભાગવતભાવાર્થા – વિર્ભાવાર્થાવતારિતઃ ।

સ્વામિસંતોષહેતુઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૬।।

શ્રીભાગવતના ગૂઢાર્થને પ્રકટ કરવા જેમણે અવતાર ધારણ કર્યો છે એવા અને સ્વામી શ્રીકૃષ્ણના સંતોષના કારણરૂપ શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૬)

વલ્લવીવલ્લભાન્તઃસ્થ લીલાનુભવ વલ્લભઃ ।

અન્યાસ્ફુરણરૂપઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૭।।

શ્રીગોપીજનવલ્લભ શ્રીકૃષ્ણના અંતઃકરણની લીલાનો અનુભવ જેમને વહાલો છે તથા તેને લઈને જેમના હૃદયમાં અન્ય વિચાર જાગતો જ નથી એવા શ્રીમહાપ્રભુજી-શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૭)

જિતાભોજદાંભોજ – વિભૂષિતવસુંધરઃ ।

સદા ગોવર્ધનસ્થઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૮।।

પોતાની અતિશય કોમળતા અને સુંદરતાથી કમળને જીતનારા, ચરણકમળોથી પૃથ્વીને વિભૂષિત કરનારા, સદા શ્રીગિરિરાજજીમાં બિરાજમાન એવા શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૮)

અનન્યસ્તન્મના નિત્યં પઠેદ્યઃ શરણાષ્ટકમ્ ।

સ લભેત્ સાધનાભાવ – યુક્તોપ્યેતત્પદાશ્રયમ્ ।।૯।।

જે જીવ અનન્યાશ્રિત મનવાળો થઈને આ શરણાષ્ટકમ્​નો પાઠ નિત્ય કરશે, તે નિઃસાધન હશે તો પણ, તે શ્રીમહાપ્રભુજીના ચરણકમળના દૃઢ આશ્રયને પ્રાપ્ત કરશે.

ઇતિ શ્રીહરિદાસ વિરચિતં શ્રીવલ્લભશરણાષ્ટકં સંપૂર્ણમ્ ।

આ પ્રમાણે શ્રીહરિરાયજી રચિત શ્રીવલ્લભશરણાષ્ટક સ્તોત્ર સંપૂર્ણ થયું.

શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ

શ્રીહરિરાયજી વિરચિત શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ


કૃષ્ણાં કૃષ્ણસમાં કૃષ્ણરૂપાં કૃષ્ણરસાત્મિકામ્ ।

કૃષ્ણલીલામૃતજલાં કૃષ્ણસંબંધકારિણામ્ ।।૧।।


શ્યામ-સ્વરૂપા, શ્રીકૃષ્ણ સમાન ગુણોવાળાં, શ્રીકૃષ્ણ સમાન રૂપવાળાં, શ્રીકૃષ્ણરૂપી રસથી ભરેલાં, શ્રીકૃષ્ણે જ્યાં લીલા કરી છે, તે અમૃતજળથી ભરેલાં, શ્રીકૃષ્ણ સાથે સંબંધ કરાવનારાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૧)

કૃષ્ણપ્રિયાં કૃષ્ણમુખ્ય – રસસંગમદાયિનીમ્ ।

કૃષ્ણક્રીડાશ્રયાં કૃષ્ણ – પદવીપ્રાપિકામપિ ।।૨।।


શ્રીકૃષ્ણનાં પ્રિયા, શ્રીકૃષ્ણના મુખ્ય રસનો ભક્તોને સંગમ કરાવનારાં, શ્રીકૃષ્ણની ક્રીડાના સ્થાનરૂપ, શ્રીકૃષ્ણની પ્રાપ્તિનો માર્ગ બતાવનારાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૨)

કૃષ્ણસ્થિતાં કૃષ્ણવાસહૃદયાં કૃષ્ણભાવુકામ્ ।

કૃષ્ણપ્રિયાપ્રિયાં કૃષ્ણ-સ્થાયીભાવસમુદ્​ભવામ્ ।।૩।।


શ્રીકૃષ્ણમાં જેમનું મન સદા લાગેલું છે તેવાં, શ્રીકૃષ્ણ જેમના હૃદયમાં સદા બિરાજમાન છે એવાં, શ્રીકૃષ્ણમાં સર્વાત્મભાવવાળાં, શ્રીકૃષ્ણનાં પ્રિયા શ્રીસ્વામિનીજીનાં વહાલાં, શ્રીકૃષ્ણના સ્થાયી ભાવ – રતિમાંથી પ્રકટ થયેલાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૩)

કૃષ્ણૈકમિલનસ્થાનભૂતાં કૃષ્ણસુખાર્થિનીમ્ ।

કૃષ્ણગોપી-સહચરીં કૃષ્ણસમ્માનવર્ધિનીમ્ ।।૪।।


શ્રીકૃષ્ણને મળવાના સ્થાનરૂપ, શ્રીકૃષ્ણના સુખની ઇચ્છાવાળાં, શ્રીગોપીજનોનાં સહચરી, શ્રીકૃષ્ણના માનને વધારનારાં એવાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૪)

કૃષ્ણકાર્યપરાં કૃષ્ણલીલાસ્થલવિશોધિકામ્ ।

કૃષ્ણક્રીડાકુંકુંમાદિયુતાં કૃષ્ણરસાતુરામ્ ।।૫।।


શ્રીકૃષ્ણની સેવામાં પરાયણ, શ્રીકૃષ્ણના લીલાસ્થળને શુદ્ધ કરનારાં, શ્રીકૃષ્ણ સાથેની ક્રીડામાં કુમકુમ વગેરેથી શોભાયમાન, શ્રીકૃષ્ણરસ પામવા માટે આતુર (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૫)

કૃષ્ણગોપીપૂજ્યદેવીં કૃષ્ણવ્રતફલપ્રદામ્ ।

કૃષ્ણલીલાર્થમાયાતાં કૃષ્ણનીરધિસંગતામ્ ।।૬।।


શ્રીગોપીજનો દ્વારા પૂજાયેલાં દેવી, શ્રીકૃષ્ણસંબંધી વ્રતનું ફળ આપનારાં, શ્રીકૃષ્ણની લીલા માટે પૃથ્વી પર પધારેલાં, શ્રીકૃષ્ણરૂપી મહાસાગરને મળેલાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૬)

કૃષ્ણપાદસ્પર્શકામાં કૃષ્ણમનસસંશ્રિતામ્ ।

કૃષ્ણાસક્તં કૃષ્ણભક્તામ્ કૃષ્ણપ્રીતિપ્રસાધિનીમ્ ।।૭।।


શ્રીકૃષ્ણનાં ચરણસ્પર્શની ઇચ્છાવાળાં, શ્રીકૃષ્ણના મનનો આશ્રય કરીને રહેલાં, શ્રીકૃષ્ણમાં આસક્તિવાળાં, શ્રીકૃષ્ણનાં ભક્ત, શ્રીકૃષ્ણમાં પ્રીતિ વધારનારાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૭)

કૃષ્ણાંધ્રિરેણુબહુલાં કૃષ્ણસેવક-સમ્મુખામ્ ।

કૃષ્ણ ભાવવિરોધી-સ્વદાસપ્રકૃતિનાશિનીમ્ ।।૮।।


શ્રીકૃષ્ણનાં ચરણકમળની પુષ્કળ રજવાળાં, શ્રીકૃષ્ણના સેવકો પ્રત્યે કૃપાળુ, શ્રીકૃષ્ણ પ્રત્યેના ભાવથી વિરોધી એવી પોતાના ભક્તોની પ્રકૃતિનો નાશ કરનારાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૮)

નમામિ યમુનાં કૃષ્ણાં કૃષ્ણતૂર્યપ્રિયામહમ્ ।

નિજાચાર્યપદાંભોજદાસે ભાવં પ્રયચ્છતુ ।।૯।।


શ્રીકૃષ્ણનાં ચતુર્થ પ્રિયા એવાં શ્રીયમુનાજીને હું નમન કરું છું. શ્રીઆચાર્યચરણના ચરણકમળના દાસ એવા મને, હે શ્રીયમુનાજી! ભગવદ્​ભાવનું દાન કરો. (૯)

ઇતિ શ્રીહરિદાસોક્તા શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ સમાપ્તા ।

શ્રીગુરુદેવાષ્ટકમ્

શ્રીગુરુદેવાષ્ટકમ્


પુષ્ટિમાર્ગીયસર્વજ્ઞઃ કરુણારસપુરિતઃ ।

શ્રેષ્ઠઃ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રીગુરૂવે નમઃ ।।૧।।

પુષ્ટિમાર્ગના સંપૂર્ણ રહસ્યને જાણનારા, કરુણારસથી પૂર્ણ, સર્વોત્તમ ફળનું દાન કરનાર શ્રીગુરુદેવને નમસ્કાર. (૧)

દૈવીજીવસમુદ્ધર્તા આનંદમયવિગ્રહઃ ।

ધ્યેયોસિ મે સદા સ્વામિન રસિકૈકશિરોમણિઃ ।।૨।।

દૈવી જીવોનો ઉદ્ધાર કરનાર, આનંદમય શ્રીઅંગવાળા હે સ્વામી! રસિક –ભગવદ્ રસના અનુભવીઓમાં આપ શિરોમણી છો. આપ સદા મારે ધ્યાન કરવા યોગ્ય છો. (૨)

પ્રતિબંધનિરાકર્તા પુષ્ટિજ્ઞાનપ્રદીપકઃ ।

સર્વસિદ્ધાન્તવક્તા ય દીનદુઃખાસહઃ પ્રભુઃ ।।૩।।

ભક્તિમાર્ગમાં નડતા પ્રતિબંધોને દૂર કરનાર, પુષ્ટિમાર્ગનું જ્ઞાન આપવામાં દીપક સમાન, સર્વ સિદ્ધાંત કહેનારા, દીનજનોનાં દુઃખ સહન કરનાર આપ સમર્થ છો. (૩)

સર્વદોષપ્રહન્તા ય સર્વાતીત સુખપ્રદઃ ।

બુદ્ધિપ્રેરકભાવાત્મા નમામિ તમહં ગુરુમ્ ।।૪।।

સર્વ દોષોનો નાશ કરનાર, સર્વોપરિ સુખનું દાન કરનાર, બુદ્ધિના પ્રેરક અને ભાવસ્વરૂપ શ્રીગુરુદેવને હું નમન કરું છું. (૪)

સ્વરૂપજ્ઞાનશૂન્યસ્ય કૃપયા નિખિલાઘહૃત ।

કાર્યમાત્રસમર્થાત્મન્ નિજનાથ નમોનમઃ ।।૫।।

સ્વરૂપના જ્ઞાન વિનાઓનાં સર્વ પાપોને કૃપા કરીને હરનાર, સર્વ કાર્યમાં સમર્થ એવા હે નિજભક્તોના નાથ! આપને નમન હો, નમન હો. (૫)

રસમગ્નો ભગ્નદુઃખઃ સર્વદાનવિલક્ષણઃ ।

સર્વાંગસુંદર વિભો રતિનાથવિમોહનઃ ।।૬।।

ભગવદ્ રસમાં નિમગ્ન, દુઃખને ભાંગનાર, સર્વ પ્રકારનું દાન આપવામાં વિલક્ષણ, સુંદર સર્વ શ્રીઅંગવાળા હે વિભો! આપ કામદેવને પણ મોહિત કરો છો. (૬)

ભક્તિપ્રિયો ભાવગમ્યો રસજ્ઞો રસદાયકઃ ।

અતિમાધુર્યનિચયો દુર્લભો ભાવબોધકઃ ।।૭।।

ભક્તિપ્રિય, ભાવને જાણનાર, રસજ્ઞ, રસનું દાન કરનાર, અત્યંત મધુરતાના સમુહરૂપ, દુર્લભ અને ભાવબોધક છો. (૭)

અનન્યધર્મદાતા ચ વ્યભિચારનિવારકઃ ।

શરણાગતસંત્રાતા કાલાદિનયનાશકઃ ।।૮।।

શ્રીવિઠ્ઠલપ્રાપ્તિકર્તા નિજદાસાવલંબકઃ ।।૮-૧/૨।।

અનન્ય એવા ધર્મનું દાન કરનાર, વ્યભિચારનો વિનાશ કરનાર, શરણાગત જીવોનું સારી રીતે રક્ષણ કરનાર, કાલાદિ ભયનો નાશ કરનાર, શ્રીવિઠ્ઠલ સ્વરૂપ-પ્રભુની પ્રાપ્તિ કરાવનાર અને પોતાના સેવકોના અવલંબન રૂપ આપ શ્રીગુરુદેવ છો. (માટે આપને વંદન હો!) (૮-૧/૨)

।।ઇતિ શ્રીનિજદાસ (હરિદાસ) વિરચિતં શ્રીગુરુદેવાષ્ટકમ્ સમાપ્તમ્ ।।

નિજદાસ શ્રીહરિરાયજી વિરચિત શ્રીગુરુદેવાષ્ટક સમાપ્ત થયું.


નોંધઃ

શ્રીહરિરાયજીના બ્રહ્મસંબંધદાતા શ્રીગુસાંઈજીના ચતુર્થકુમાર શ્રીગોકુલનાથજી હતા. આપણા માર્ગના સિદ્ધાંત મુજબ બ્રહ્મસંબંધદાતા શ્રીવલ્લભકુળના બાળક ગુરુદ્વાર છે અને શ્રીમહાપ્રભુજી ગુરુ છે. તેથી શ્રીહરિરાયજી આ સ્તોત્રમાં ગુરુ શ્રીમહાપ્રભુજી અને ગુરુદ્વાર શ્રીગોકુલનાથજીને વંદન કરે છે.

 

આપણે પણ આ સ્તોત્ર મુખપાઠ કરી, દરરોજ તે ગાતાં-ગાતાં શ્રીમહાપ્રભુજી અને આપણા ગુરુદ્વાર શ્રીવલ્લભકુળને વંદન કરવાં જોઈએ.

શ્રીયમુનાષ્ટકમ્

।। શ્રીયમુનાષ્ટકમ્ ।।

રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી

Yamunashtak Raspan

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/YAMUNA-Lata2.mp3|titles=YAMUNA-Lata2]

(સ્વરઃ લતા મંગેશકર, રાગ-કલ્યાણ)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/Yamunaashtakam-1-1.mp3|titles=Yamunaashtakam-1]

(સ્વરઃ માયા દિપક, રાગ-ભૈરવી)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/Yamuna2.mp3|titles=Yamuna2]

(સ્વરઃ માયા દિપક, રાગ-કલ્યાણ)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/09/Yamunashtak_Rupa-Gandhi.mp3|titles=Yamunashtak_Rupa Gandhi]

(સ્વરઃ રૂપા ગાંધી)

—————————————————————————————

શ્રીમહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં સં.૧૫૪૮માં તેર વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામઘાટ ઉપર મુકામ કર્યો, ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રીયમુનાષ્ટકમ્ સ્તોત્ર દ્વારા શ્રીયમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ કરી. આ સ્તોત્રના પહેલા આઠ શ્લોકોમાં શ્રીયમુનાજીનાં આઠ ઐશ્વર્યોનું, તેમના અલૌકિક અદ્ભુત સ્વરૂપનું અને તેમના દિવ્ય ધર્મોનું વર્ણન કર્યુ છે.

આધિદૈવિક સૂર્યનાં પુત્રી શ્રીયમુનાજી ભક્તો ઉપર કૃપા કરવા ગોલોક ધામમાંથી કલિંદ પર્વત દ્વારા ભૂતળ ઉપર પધાર્યા છે. તેમનું આધિભૌતિક જળ સ્વરૂપ પણ અત્યંત શોભાયમાન છે. દુષ્ટ સ્વભાવવાળા જીવોનો ભગવત્સંબંધ શ્રીયમુનાજી જ કરાવી આપે છે. તેવાં આપ અત્યંત દયાળુ છે. શ્રીયમુનાજી પોતાના ભક્તોને અષ્ટસિદ્ધિ અને અષ્ટ ઐશ્વર્યોનું દાન કરે છે.તરસ છિપાવવા માટે પણ તેમના જલનું પાન કરનાર યમ-યાતનામાંથી છૂટતો હોય, તો આપનું માહાત્મ્યજ્ઞાન જાણીને પ્રેમભક્તિપૂર્વક આપનું પયઃપાન કરનાર ભક્તોને પુષ્ટિમાર્ગનું ઉત્તમોત્તમ ફળ શ્રીયમુનાજી આપે તેમાં આશ્ચર્ય શું?

શ્રીમહાપ્રભુજીના ૮૪ વૈષ્ણવો પૈકીનાં કિશોરીબાઈ આ ગ્રંથના ચોથા શ્લોકનો શ્રદ્ધાપૂર્વક અહર્નિશ પાઠ કરતાં હતાં. એમને શ્રીયમુનાજીએ સ્વયં પધારી અલૌકિક ફળનું દાન કર્યાનો પ્રસંગ આપણે જાણીએ છીએ. આવા શ્રીયમુનાષ્ટકનો અર્થના અનુસંધાન સાથે હંમેશાં પાઠ કરવાથી મળનારાં અલૌકિક ફળ શ્રીમહાપ્રભુજીએ છેલ્લા-નવમા શ્લોકમાં બતાવ્યાં છે.

(છંદઃ પૃથ્વી)

નમામિ યમુનામહં, સકલસિદ્ધિહેતું મુદા

મુરારિપદપંકજ  સ્ફુરદમંદરેણૂત્કટામ્ ।

તટસ્થનવકાનન  પ્રકટમોદપુષ્પાંબુના

સુરાસુરસુપૂજિતસ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ્ ।।૧।।

શ્રીયમુનાજી સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારાં છે. મુરારિ શ્રીકૃષ્ણનાં ચરણારવિંદથી શોભતી (પ્રકાશિત) પુષ્કળ રજથી ભરેલા કિનારાવાળા છે. તે કિનારા ઉપર નવીન વનો આવેલાં છે. તેમાં ઉત્પન્ન થયેલી પુષ્પોની સુગંધથી યુક્ત જલવાળાં છે. સુર અને અસુર અથવા દૈન્યભાવ અને માનભાવવાળાં વ્રજભક્તોથી સારી રીતે પૂજાયેલાં છે. કામદેવ (પ્રદ્યુમ્ન)ના પિતા એવા શ્રીકૃષ્ણની શોભાને ધારણ કરનારાં છે. આવાં શ્રીયમુનાજીને હું આનંદપૂર્વક નમન કરું છું. (૧)

કલિન્દગિરિમસ્તકે, પતદમંદપૂરોજ્જ્વલા

વિલાસગમનોલ્લસત્, પ્રકટગંડશૈલોન્નતા ।

સઘોષગતિદન્તુરા, સમધિરૂઢદોલોત્તમા

મુકુંદરતિવર્ધિની, જયતિ પદ્મબંધોઃ સુતા ।।૨।।

કલિન્દ નામના પર્વતના શિખર ઉપર વેગથી પડતા પ્રવાહને કારણે તેઓ ઉજ્જવલ દેખાય છે. વિલાસપૂર્વક ગતિ કરતાં હોવાથી તેઓ શોભે છે. પર્વતના ઊંચાનીચા પથ્થરોને લીધે તેઓ પણ ઊંચાંનીચાં દેખાય છે. જળના વહેવાના કારણે થતા અવાજ સાથેની તેમની ગતિમાં વધઘટ થાય છે. તેઓ જાણે ઉત્તમ પ્રકારના ઝૂલામાં સારી રીતે બિરાજ્યાં હોય તેવાં લાગે છે. તેઓ શ્રીમુકુંદ ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ વધારનારાં છે. આવાં સૂર્યપુત્રી શ્રીયમુનાજી જય પામે છે. (ર)

ભુવં ભુવનપાવનીમધિગતામનેકસ્વનૈઃ

પ્રિયાભિરિવ સેવિતાં, શુકમયૂરહંસાદિભિઃ ।

તરંગભુજકંકણ, પ્રકટમુક્તિકાવાલુકા

નિતંબતટસુંદરીં, નમત કૃષ્ણતુર્યપ્રિયામ્ ।।૩।।

શ્રીયમુનાજી પૃથ્વી ઉપર પધારે છે ત્યારે ભૂમંડલને પવિત્ર કરે છે. જેમ સખીજનો તેમની સેવા કરતાં તેમ વિવિધ પ્રકારના મધુર અવાજો કરતાં મોર, પોપટ, હંસ વગેરે પક્ષીઓ પણ તેમની સેવા કરે છે. તેમનાં જળનાં મોજાંરૂપી મોતીથી જડેલા કંકણ શોભી રહ્યાં છે. નિતંબભાગરૂપી બંને બાજુનાં તટથી તેઓ સુંદર દેખાય છે. શ્રીકૃષ્ણનાં પ્રિય એવાં એમનાં ચતુર્થ સ્વામિનીજી શ્રીયમુનાજીને તમે નમન કરો. (૩)

અનંતગુણભૂષિતે, શિવવિરંચિદેવસ્તુતે

ઘનાઘનનિભે સદા, ધ્રુવપરાશરાભીષ્ટદે ।

વિશુદ્ધમથુરાતટે, સકલગોપગોપીવૃતે

કૃપાજલધિસંશ્રિતે, મમ મનસ્સુખં ભાવય ।।૪।।

હે શ્રીયમુનાજી, આપ અસંખ્ય ગુણોથી સુશોભિત છો; શંકર, બ્રહ્મા વગેરે દેવો આપની સ્તુતિ કરે છે. નિરંતર ગાઢ મેઘ સમાન આપનું સ્વરૂપ છે. ધ્રુવ, પરાશર વગેરે (ભક્તો)ને ઇચ્છિત વસ્તુનું દાન કરનારાં છો. આપના કિનારા ઉપર વિશુદ્ધ મથુરાજી (જેવાં તીર્થો) આવેલાં છે. આપ સર્વ ગોપગોપીજનોથી વીંટળાયેલાં છો અને આપ કૃપાસાગર શ્રીકૃષ્ણનો સદા આશ્રય કરી રહો છો. હે શ્રીયમુનાજી, આપ મારા મનને સુખ થાય તેમ વિચારો. (૪)

યયા ચરણપદ્મજા, મુરરિપોઃ પ્રિયંભાવુકા

સમાગમનતો ભવત્, સકલસિદ્ધિદા સેવતામ્ ।

તયા સદ્રશતામિયાત્, કમલજા સપત્નીવ યત્

હરિપ્રિયકલિન્દયા, મનસિ મે સદા સ્થીયતામ્ ।।૫।।

ભગવાનનાં ચરણારવિંદમાંથી પ્રકટ થયેલાં શ્રીગંગાજી, શ્રીયમુનાજીના સમાગમથી મુરારિ શ્રીકૃષ્ણને પ્રિય બન્યાં તથા સેવા કરનારા પોતાના ભક્તોને સર્વ સિદ્ધિઓ આપનારાં થયાં. આવાં શ્રીયમુનાજીની બરાબરી બીજું કોણ કરી શકે? જો કદાચ કોઇ કરી શકે તો તે તેમની સમાન સૌભાગ્યવાળાં શ્રીલક્ષ્મીજી જ છે. આવાં શ્રીહરિના પ્રિય અને ભક્તોના દોષનો નાશ કરવાવાળાં શ્રીયમુનાજી મારા મનમાં નિરંતર વાસ કરો. (પ)

નમોઽસ્તુ યમુને સદા, તવ ચરિત્રમત્યદ્ભુતમ્

ન જાતુ યમયાતના, ભવતિ તે પયઃપાનતઃ ।

યમોઽપિ ભગિનીસુતાન્, કથમુ હન્તિ દુષ્ટાનપિ

પ્રિયો ભવતિ સેવનાત્, તવ હરેર્યથા ગોપિકાઃ ।।૬।।

હે શ્રીયમુનાજી, આપને સદૈવ નમન હો! આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે. આપનાં જલના પાનથી યમની પીડા કદી પણ ભોગવવી પડતી નથી; કારણ કે પોતાના ભાણેજો દુષ્ટ હોય, છતાંય યમરાજા તેમને શી રીતે મારે? જેવી રીતે કાત્યાયની વ્રત દ્વારા આપની સેવા કરીને શ્રીગોપીજનો પ્રભુને પ્રિય બન્યાં, તેવી રીતે આપની સેવા દ્વારા ભક્તો પણ પ્રભુને પ્રિય બને છે. (૬)

મમાઽસ્તુ તવ સન્નિધૌ, તનુનવત્વમેતાવતા

ન દુર્લભતમા રતિ  ર્મુરરિપૌ મુકુંદપ્રિયે ।

અતોઽસ્તુ તવ લાલના, સુરધુની પરં સંગમાત્

તવૈવ ભુવિ કીર્તિતા, ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ।।૭।।

શ્રીમુકુંદ ભગવાનને પ્રિય એવાં હે શ્રીયમુનાજી, આપની સમીપમાં મને ભગવત્લ્લીલામાં ઉપયોગી થાય તેવો અલૌકિક દેહ પ્રાપ્ત થાઓ. તેના વડે મુરારિ શ્રીકૃષ્ણ પ્રભુમાં અત્યંત સરળતાથી પ્રીતિ થશે. તેથી જ તો આપની સ્તુતિ દ્વારા આપને આ બધાં લાડ હો! શ્રીગંગાજી કેવળ આપના સમાગમથી જ દુનિયામાં કીર્તિ પામ્યાં છે. આપના સમાગમ વિનાનાં શ્રીગંગાજીની સ્તુતિ પુષ્ટિમાર્ગીય જીવોએ ક્યારે પણ કરી નથી. (૭)

સ્તુતિં તવ કરોતિ કઃ, કમલજાસપત્નિ પ્રિયે

હરેર્યદનુસેવયા, ભવતિ સૌખ્યમામોક્ષતઃ ।

ઇયં તવ કથાઽધિકા, સકલગોપિકાસંગમ

સ્મરશ્રમજલાણુભિઃ, સકલગાત્રજૈઃ સંગમઃ ।।૮।।

શ્રીલક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળાં હે શ્રીયમુનાજી, આપની સ્તુતિ કરવા કોઇ સમર્થ નથી. કારણ (સામાન્ય રીતે તો) પહેલાં ભગવાનની સેવા કરી, પછી લક્ષ્મીજીની સેવા કરનારને મોક્ષ પર્યંતનું સુખ મળે છે; પરંતુ આપની આ કથા (આપનું માહાત્મ્ય) સર્વથી શ્રેષ્ઠ છે. કારણ કે રાસલીલા બાદ સકલ વ્રજભક્તો સાથે જલવિહાર કરતાં પ્રભુને ભક્તો સહિત થયેલ ક્રીડાના શ્રમજલકણોનો જેમાં સંયોગ થયો છે, તેવા આપના જલકણો સાથે આપની સેવાથી ભક્તોનાં બધાં અંગોનો સમાગમ થતાં જ લીલાપ્રાપ્તિનો અનુભવ થાય છે. (૮)

તવાઽષ્ટકમિદં મુદા, પઠતિ સૂરસૂતે સદા

સમસ્તદુરિતક્ષયો, ભવતિ વૈ મુકુંદે રતિઃ ।

તયા સકલસિદ્ધયો, મુરરિપુશ્ચ સંતુષ્યતિ

સ્વભાવવિજયો ભવેદ્-વદતિ વલ્લભઃ શ્રીહરેઃ ।।૯।।

હે સૂર્યપુત્રી શ્રીયમુનાજી! આપના આ અષ્ટકનો (સ્તોત્રનો) જે કોઇ નિરંતર આનંદપૂર્વક પાઠ કરે છે તેને નીચેનાં ફળ પ્રાપ્ત થાય છેઃ (૧) તેનાં બધાં પાપો નાશ પામે છે. (ર) તેને નિશ્ચયપૂર્વક શ્રીમુકુંદ ભગવાનમાં પ્રીતિ થાય છે. (૩) આવી પ્રીતિના કારણે તેને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. (૪) તેના સ્વભાવનો વિજય થાય છે. (સંસારમાંથી તેનું મન મુક્ત થઇ, તે ભગવદ્ધર્મનું આચરણ કરવા અનુકૂળ બને છે.) આમ શ્રીસ્વામિનીજી અને શ્રીઠાકોરજીને પ્રિય એવા શ્રીવલ્લભાચાર્યજી કહે છે. (૯)

।। ઇતિ શ્રીમદ્ વલ્લભાચાર્યવિરચિતં શ્રીયમુનાષ્ટકસ્તોત્રં સંપૂર્ણમ્ ।।

આ પ્રમાણે શ્રીવલ્લભાચાર્યજીએ રચેલું શ્રીયમુનાષ્ટક સંપૂર્ણ થયું.

શ્રીમહાપ્રભુજીનું ધ્યાન

(છંદઃ શાર્દૂલવિક્રીડીત)

સૌન્દર્યં નિજહૃદ્​ગતં પ્રકટિતં, સ્ત્રીગૂઢભાવાત્મકં

પુંરૂપં ચ પુનસ્તદન્તરગતં, પ્રાવીવિશત્ સ્વપ્રિયે ।

સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ, કૃષ્ણો હિ યત્સાક્ષિકં

રૂપં તત્ ત્રિતયાત્મકં પરમભિધ્યેયં સદા વલ્લભમ્ ।।

ભાવાર્થઃ

શ્રીઠાકોરજીએ પોતાના હૃદયમાં બિરાજતાં શ્રીસ્વામિનીજીના સ્ત્રીગૂઢભાવાત્મક સૌન્દર્યસ્વરૂપને પ્રકટ કર્યું. તેવી જ રીતે શ્રીસ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રીઠાકોરજીનું પુંભાવાત્મક સૌન્દર્યસ્વરૂપ પણ પ્રકટ થયું. આમ, બંને સ્થળે પ્રકટ થયેલ બંને પ્રકારનાં સૌંદર્યસ્વરૂપોને શ્રીઠાકોરજીએ પોતાના પ્રિય એવા શ્રીવલ્લભાચાર્યજીમાં પધરાવ્યાં. આમ બંને પ્રકારનાં સ્ત્રીપુંભાવ સૌંદર્યસ્વરૂપોનો સંયોગ થવાથી રસાત્મક એવા શ્રીકૃષ્ણ જ પોતાના પ્રિય સ્વરૂપ (શ્રીવલ્લભાચાર્યજી) સાથે એકરસ થઇ શોભ્યા. આવી આ અદ્​ભુત લીલાના સાક્ષીરૂપ અને આ ત્રણે સ્વરૂપ જેમાં બિરાજમાન છે, તેવા શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું (દરેક વૈષ્ણવે) નિત્ય, ઉત્તમ રીતે ધ્યાન ધરવું.

ભાવાનુવાદઃ

રાધા-રૂપ રસે ભર્યું, હૃદયથી પ્રેમે પ્રકાશે પ્રભુ;

ને મૂર્તિ નિજ નાથની મદભરી, પ્રત્યક્ષ કીધી પ્રિયા;

પામે યુગ્મ અનેરું ઐક્ય અહીં એ, ભેટન્ત ભાવે ભરી;

ધ્યાને એ ધરું નિત્ય રૂપ નવલું શ્રીવલ્લભાધીશનું.

ભાવાનુવાદ-શ્રી વ્રજરત્નદાસ ચી. પરીખ (પાટણ)

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી