રસિયાઃ શ્રીગોવર્ધન મહારાજ તેરે માથે મુગુટ બિરાજી રહ્યો

રસિયાઃ શ્રીગોવર્ધન મહારાજ તેરે માથે મુગુટ બિરાજી રહ્યો

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2012/03/Rasiya_Bhagvatiprasad_Shri-Govardhan-Maharaj.mp3|titles=Rasiya_Bhagvatiprasad_Shri Govardhan Maharaj]

(સ્વરઃ શ્રી ભગવતીપ્રસાદ ગંધર્વ)

————————————————————————————————

શ્રીગોવર્ધન મહારાજ તેરે માથે મુગુટ બિરાજી રહ્યો….. તેરે માથે…

તોપે પાન ચઢે તોપે ફૂલ ચઢે, તોપે ચઢે દૂધ કી ધાર….. તેરે માથે…

તેરે અંગ કેસરિયા જામા હૈ, ઔર ગલે ફૂલનકી માલ…. તેરે માથે…

તેરે કાનન કુંડલ સોહે રહે, ઠોડી પે હીરા લાલ….. તેરે માથે…

તેરે સાત કોસકી પરિક્રમા, ચકલેશ્વર પે વિશ્રામ…. તેરે માથે…

જો આવે તેરે દરસન કો વાકો કર દે બેડા પાર…. તેરે માથે…

દાસ પર્યો તેરે ચરનન મેં, એક તેરો હી આધાર…. તેરે માથે…

બરસાને કી નવલ નારિ મિલ હોરી ખેલન આઈ હો

બરસાને કી નવલ નારિ મિલ હોરી ખેલન આઈ હો

(રચનાઃ ઋષિકેશજી)

(રાગઃ આસાવરી)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2012/03/Barsane-Ki-Naval-Nar-Mil-Hori-Khelan-Aayi-Ho_Bhagvati-Prasad-Gandharv.mp3|titles=Barsane Ki Naval Nar Mil Hori Khelan Aayi Ho_Bhagvati Prasad Gandharv]


(સ્વરઃ શ્રી ભગવતીપ્રસાદ ગંધર્વ)

—————————————————————————————————————–

બરસાને કી નવલ નારિ મિલ હોરી ખેલન આઈ હો,

બરવટ ધાય જાય જમુના તટ ઘેરે કુંવર કન્હાઈ. (૧)

અતિ ઝીની કેસર રંગ ભીની સારી સુરંગ સુહાઈ,

કંચન બરન કંચુકી ઉપર ઝલકત જોબન ઝાંઈ. (૨)

કેસર, કસ્તુરી મલયાગર ભાજન ભરિ ભરિ લાઈ,

અબીર ગુલાલ ફેંટ ભર ભામિની કરન કનક પીચકાઈ (૩)

ઉતતેં ગોપસખા સબ ઉમગે ખેલ મચ્યો ઉદમાઈ,

બાજત તાલ મૃદંગ ઝાંઝ ડફ મુરલી મધુર બજાઈ (૪)

ખેલત ખેલત રસિક શિરોમણી રાધાજુ નિકટ બુલાઈ,

હૃષિકેશ પ્રભુ રીઝી શ્યામઘન, બનમાલા પહેરાઈ. (૫)

ભાવાર્થઃ

પ્રભુની સર્વ લીલાઓમાં હોરીલીલા એક રસમય લીલા છે. વ્રજમાં વસંતપંચમીથી દોલોત્સવ સુધી ૪૦ દિવસ ગોપ-ગોપીઓ શ્રીકૃષ્ણ સાથે હોળીખેલનો આનંદ માણે છે. હોળી ખેલ કેવી રીતે થાય છે તેનું સુંદર વર્ણન કરતાં ખૂબ લાંબાં-મોટાં પદો-ધમારો અષ્ટસખાઓએ અને અન્ય ભગવદીયોએ રચ્યાં છે. તેમાં વ્રજની હોળી અને એ ખેલવાનો અદ્​ભુત આનંદ વર્ણવાયો છે.

આ નાનકડા પદમાં હૃષિકેશજી, જેઓ શ્રીગુસાંઈજીના અનન્ય સેવક હતા, તેઓ પ્રભુની હોળીલીલાનાં દર્શન કરીને આપણને પણ તેનાં દર્શન કરાવી રહ્યા છે.

તેઓ કહે છે કે બરસાનાથી શ્રીરાધિકાજી અને તેમની સખીઓ ગોકુળમાં કન્હાઈ સાથે હોળી ખેલવા માટે આવ્યાં છે. બધી નવયુવતીઓ મળીને યમુનાતટ ઉપર ગઈ છે. ત્યાં બિરાજેલા શ્યામસુંદરને ઘેરી લીધા છે.

શ્યામસુંદર એવી ગોપીકાઓથી ઘેરાઈ ગયા છે જેમના અંગ ઉપર સુંદર, કેસર રંગથી ભીની, રંગબેરંગી ઝીણી સાડીઓ શોભી રહી છે. સુવર્ણ રંગની સુંદર કંચુકીઓ શોભી રહી છે. એ નવયુવતીઓ પોતાની સાથે કેસર, કસ્તુરી, મલયાગર ચંદન વગેરે ભરેલાં પાત્રો લઈને આવી છે. અબીર અને ગુલાલથી તેમની ફેંટ ભરેલી છે. હાથમાં સુવર્ણની પીચકારી છે. હોળી ખેલવા માટેની બધી જ સામગ્રીથી સજ્જ થઈને આવેલી આ ગોપાંગનાઓએ જેવા શ્રીઠાકોરજીને ઘેરીને હોળી ખેલાવવા માંડી કે તરત જ ચારે બાજુથી તેમના સખાઓ પણ આવી ગયા. તેમની પાસે પણ અબીલ, ગુલાલની ફેંટ ભરેલી છે. કેસરજળના ઘડા ભરેલા છે. હાથમાં પીચકારીઓ છે. સખાઓ અને સખીઓના યૂથ વચ્ચે જોરદાર હોળી ખેલ શરૂ થયો. એકબીજા ઉપર અબીલ-ગુલાલની પોટલીઓ ફેંકીને વાતાવરણને રંગોથી ભરી દીધું.

કેટલાક સખાઓ અને સખીઓ તાલબદ્ધ રીતે મૃદંગ, ઝાંઝ, ડફ વગેરે વગાડીને સુંદર હોળીગીતો ગાઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે મુરલીના મધુર સ્વર પણ સંભળાઈ રહ્યા છે. આ રીતે હોળીખેલમાં તેઓ ખલનારાને પાનો ચડાવી રહ્યાં છે.

મસ્ત હોળીખેલ જામ્યો છે. ખેલતાં ખેલતાં રસિક શિરોમણી એવા શ્રીઠાકોરજીએ રાધાજીને પોતાની પાસે બોલાવ્યાં. તેમના હોળી ખેલાવવાના આ મનોરથથી પ્રસન્ન થયેલા શ્રીઠાકોરજીએ પોતાની વનમાળા રાધાજીના કંઠમાં પહેરાવી દીધી. આ લીલાનાં દર્શન કરતાં શ્રીહૃષિકેશજી કહે છે મારા પ્રભુ શ્રીશ્યામઘનસુંદર આ હોળીખેલથી ખૂબ રીઝ્યા છે અને પોતાની માળા શ્રીરાધિકાજીને પહેરાવે છે.

રસિયાઃ ફગુવા દે મોહન મતવારે

રસિયાઃ ફગુવા દે મોહન મતવારે

radha_krishna_Holi_2

ફગુવા દે મોહન મતવારે,

બ્રજકી નારી ગાવે ગારી, દો બાપન કે બીચ ડોલે. (૧)

નંદજુ ગોરે જસોદા ગોરી, તુમ કહાં તે હો કારે,

પુરુષોત્તમ પ્રભુ જુવતિન હેતેં, ગોપભેખ લિયો અવતારેં (૨)

રસિયાઃ ડફ બાજે બાબા નંદઘર કે

રસિયાઃ ડફ બાજે બાબા નંદઘર કે

Daf baje baba nand ghar ke

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2012/03/daf-baje-baba-nand-ghar-ke.mp3|titles=daf baje baba nand ghar ke]

(સ્વરઃ શ્રી મયંક શુક્લ)

—————————————————————————–

ડફ બાજે બાબા નંદઘર કે,

ચલો સખી મિલ દેખન જઈએ, છૈલ ચિકનીયા નાગર કે,

અરુ બાજત હૈ ઢોલ દમામા, સુનીયત ઘાવ નગારન કે (૧)

નાચત ગાવત કરત ગુલાહલ સંગ સખા હે બરાબર કે,

પુરુષોત્તમ પ્રભુ કે સંગ ખેલત જખમારત ઘરવારન કે (૨)

રસિયાઃ આજ બિરજમેં હોરી રે રસિયા

રસિયાઃ આજ બિરજમેં હોરી રે રસિયા

Krishna_Holi Khel

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2012/03/Rasiya_Rupa-Gandhi_Aaj-Biraj-Me-Hori-Re.mp3|titles=Rasiya_Rupa Gandhi_Aaj Biraj Me Hori Re]

(સ્વરઃ શ્રીમતી રૂપા ગાંધી)

આજ બિરજમેં હોરી રે રસિયા,

હોરી રે રસિયા, બરજોરી રે રસિયા, આજ બિરજમેં હોરી રે રસિયા. (૧)

કોન ગાંવ કો કુંવર કન્હાઈ, કોન ગાંવકી ગોરી રે રસિયા,

નંદગાંવકો કો કુંવર કન્હાઈ, બરસાનેકી ગોરી રે રસિયા. (૨)

પાંચ બરસકો કુંવર કન્હાઈ, સાત બરસકી ગોરી રે રસિયા,

ઈતતે આવે કુંવર કન્હાઈ, ઉતતે આઈ રાધે ગોરી રે રસિયા. (૩)

અબીર ગુલાલ ઓર અરગજા, કેસર પિચકારી મારી રે રસિયા,

સૂરસ્યામ પ્રભુ ચતુર શિરોમણી, કર ગયો મોંસે મનમાની રે રસિયા. (૪)

મારું મન મોહ્યું રે

મારું મન મોહ્યું રે, શ્રીગિરિધરલાલને લટકે,


લટકે ને વળી મટકે, મારું મન મોહ્યું રે શ્રી ગિરિધરલાલને લટકે.


મોર  મુકુટ  મકરાકૃત  કુંડલ,  પીતાંબરને  પટકે… મારું૦


વેણુ વગાડી વ્હાલે વશ કરી લીધાં, વેંત વાંસલડીના કટકે… મારું૦


હું જલ જમુના ભરવા ગઈ’તી, હેલ ચડાવીને અટકે… મારું૦


‘વલ્લભ’ના સ્વામી સંગ રંગભર રમતાં, ઘર ખોયા નવ ખટકે… મારું૦

સ્નાનયાત્રાનું પદઃ જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી

[રચના-ગોવિંદસ્વામી]


[રાગ-બિલાવલ]


જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી કરત સ્નાન ગોવર્ધનધારી ।

શીતલ જલ ઘટ હાટક ભરિ ભરિ રજની અધિવાસન સુખકારી ।।૧।।

વિવિધ સુગંધ પહોપકી માલા તુલસીદલ લે સરસ ર્સંવારી ।

કર લે શંખ ન્હવાવત હરિકો શ્રી વિઠ્ઠલ પ્રભુકી બલિહારી ।।૨।।

તેસેઈ નિગમ પઢત દ્વિજ આગે તેસોઈ ગાન કરત વ્રજનારી ।

જે જે શબ્દ ચાર્યો દિશ વ્હે રહ્યો, યહ બિધિ સુખ બરખત અતિભારી ।।૩।।

કરિ સિંગાર પરમ રૂચિકારી, શીતલભોગ ધરત ભર થારી ।

દે બીરા આરતી ઉતારત, ગોવિંદ તન મન ધન દે વારી ।।૪।।


જેઠ સુદ પૂનમના દિવસે આપણે ત્યાં સ્નાનયાત્રાનો ઉત્સવ મનાવાય છે. એ ઉત્સવની લીલાનું વર્ણન કરતું શ્રીગોવિંદસ્વામી રચિત આ સુંદર પદ છે.

જેઠ સુદ પૂનમનો મંગલ દિવસ છે. શ્રીઠાકોરજીને જયેષ્ઠાભિષેક થઈ રહ્યો છે. આ અભિષેક પાછળની ભાવના એવી છે કે વ્રજના રાજા નંદરાયજીએ આજે પોતાના પુત્ર શ્યામસુંદરને વ્રજના યુવરાજ તરીકે સ્થાપિત કર્યા છે. પવિત્ર જલથી અભિષેક કરી, યુવરાજ તરીકે તિલક કર્યું છે. આ સમયે વેદમંત્રોનું ગાન કરવા અનેક ઋષિમુનિઓ અને વિપ્રવર્યો પધાર્યા છે. નંદરાયજીએ ગામેગામથી પોતાનાં સગાં સ્નેહીઓને તેડાવ્યાં છે. સમસ્ત વ્રજવાસીઓ પ્રભુનો જયઘોષ કરી રહ્યાં છે. શ્યામસુંદર શ્વેત ધોતીઉપરણો ધારણ કરી સોનાના બાજઠ ઉપર બિરાજ્યા છે. શ્રીહસ્તમાં સુવર્ણનાં કડાં અને બાજુબંધ શોભે છે. કેડ ઉપર કટિમેખલા અને ચરણોમાં નુપૂર ધર્યાં છે. શ્રીકંઠમાં સુવર્ણની દુલરી માળા શોભે છે. પહેલા શંખથી અને પછી ઘડા ભરી ભરીને સ્નાન થઈ રહ્યું છે.

કેવા જલથી સ્નાન થઈ રહ્યું છે? શીતલ જલથી. વર્ષમાં આ એક જ દિવસ છે કે જ્યારે પ્રભુને શીતલ જલથી સ્નાન થાય છે. શીતલ ઉપરાંત એ જલ સુગંધિત પણ છે. ગઈકાલે સુવર્ણના ઘડા ભરી ભરીને શ્રીયમુનાજલ મગાવ્યું છે. એ જલમાં કદમ, મોગરો જેવા સુગંધિત પુષ્પો, અત્તર, ચંદન, ખસના વાળા વગેરે પધરાવી તેને સુગંધિત કરવામાં આવ્યું છે. પુષ્પો અને તુલસીદલથી અલંકૃત થયેલા એ જલનું રાત્રે અધિવાસન કરીને શ્રીઠાકોરજીને સ્નાન કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

આવા રજની અધિવાસિત, શીતલ, સુગંધી, જલને શંખમાં ભરીને પ્રભુ શ્રીગોવર્ધનધરને શ્રીવિઠ્ઠલેશ પ્રભુ સ્નાન કરાવી રહ્યા છે. આગળ બ્રાહ્મણો વેદમંત્રોનું ગાન કરી રહ્યા છે. વ્રજનારીઓ મંગલ ગીતો ગાઈ રહી છે. ચારે બાજુ ભક્તો પ્રભુનો જયજયકાર કરી રહ્યા છે. બધાંને અપાર સુખનો અનુભવ થઈ રહ્યો છે. જાણે સુખનો વરસાદ વરસી રહ્યો છે. પુરુષસૂક્તનો પાઠ થઈ ગયા પછી હવે શંખને બદલે ઘડા ભરી ભરીને પ્રભુને સ્નાન થઈ રહ્યું છે.

શ્રીગુસાંઈજી શ્રીગોવર્ધનધર પ્રભુને સ્નાન કરાવ્યા બાદ વસ્ત્ર અને શૃંગાર ધરે છે. કેસરી કિનારીનો સફેદ ધોતીઉપરણો ધરે છે. શ્રીમસ્તક ઉપર સફેદ કુલ્હે અને મોરપિચ્છનો જોડ ધરે છે. મોતીની માળાઓ અને મોતીના કુંડળ ધરે છે. સુંદર શૃંગાર કરાવ્યા બાદ અનેક શીતલ સામગ્રીઓનો ભોગ ધરે છે.

એક થાળીમાં બીજ અને ચારોળીના લાડુ, કચોરી, મીઠું દહીં, શ્રીખંડ વગેરે સાજ્યા છે. બીજી થાળીમાં અંકુરી (ઉગાડેલા મગ) કેરી, વિવિધ લીલા મેવા, કેરીનો રસ વગેરે સાજ્યા છે. પનો, મગની અને ચણાની ભીંજવેલી દાળ જેવી અનેક સામગ્રીઓ સાજી છે. ઉપરાંત સવા લાખ કેરીનો ભોગ આજે શ્રીગોવર્ધનધર પ્રભુને ધરાય છે.

ભોગ સરાવી, બીડાં આરોગાવી, શ્રીગુસાંઈજી પ્રભુની આરતી કરે છે. આ દર્શન કરતાં ગોવિંદસ્વામી પોતાનાં તન, મન, ધન સર્વસ્વ શ્રીઠાકોરજી ઉપર ઓવારી દે છે.

આજે પણ સ્નાનયાત્રાના દિવસે વહેલી સવારે પ્રભુને શીતલ સુગંધિત જલથી સ્નાન કરાવીને, શીતલ સામગ્રીઓનો ભોગ ધરાય છે.

આજની સામગ્રીઓમાં બીજના લાડુ, અંકુરી અને કેરી વિશેષ પ્રમાણમાં ધરાય છે. આ સામગ્રીઓનો ભાવ બતાવતાં શ્રીહરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે બીજ એવા ભાવથી ધરાય છે કે તેનાથી ભક્તિનું બીજ હૃદયમાં સ્થપાય. આ બીજ અંકુરિત થાય એ ભાવથી અંકુરી અને તે બીજ ફલાત્મક બને તે ભાવથી કેરીનો ભોગ ધરાય છે.

આમ આ નાનકડા પદમાં ગોવિંદસ્વામી સ્નાનયાત્રાના ઉત્સવનો આનંદ અને ઉત્સવની સેવાની રીત રજૂ કરે છે.

યહ માંગો ગોપીજનવલ્લભ

(રચનાઃ પરમાનંદદાસજી)


(રાગઃબિલાવલ)

યહ માંગો ગોપીજનવલ્લભ ।

માનુષજન્મ ઔર હરિસેવા, વ્રજવસવો દીજે મોહિ સુલભ ।।૧।।

શ્રીવલ્લભકુલકો હો હું ચેરો, વૈષ્ણવજનકો દાસ કહાઉં ।

શ્રીયમુના જલ નિત્ય પ્રતિ ન્હાઉં, મન કર્મ વચન કૃષ્ણ ગુણ ગાઉં ।।૨।।

શ્રીભાગવત શ્રવણ સૂનું નિત ઈન તજ ચિત્ત કહૂં અનત ન લાઉં।

પરમાનંદદાસ યહ માંગત નિત નિરખોં કબહૂં ન અઘાઉં ।।૩।।

નાનકડા ધ્રુવજીએ વનમાં જઈ તપ કર્યું. પ્રભુ પ્રસણ થયા. દર્શન આપ્યા. પ્રભુએ કહ્યું, ‘માગ, માગ, માગે તે આપું.’ ધ્રુવજીએ માગ્યું કે…

પ્રાચીન વાર્તાઓમાં આ રીતે પ્રભુ પ્રસન્ન થયા હોય અને ભક્તને કંઈક માગવાનું કહ્યું હોય તેવા ઘણા પ્રસંગો જોવા મળે છે. કોઈકે દુન્વયી સુખસંપત્તિ માગી છે તો કોઈએ ભક્તિ માગી છે, કોઈએ વળી પ્રભુ ચરણોનો આશ્રય માગ્યો છે તો કોઈએ મુક્તિ માગી છે.

અહીં શ્રી પરમાનંદદાસજી પણ પ્રભુ પાસે કંઈક માગે છે. શ્રીમહાપ્રભુજીના સેવક અને અષ્ટસખા પૈકીના એક મહાનુભાવ પરમાનંદદાસજી શ્રીગોપીજનવલ્લભ એટલે કે ગોપીજનોને વહાલા એવા પ્રભુ શ્રીકૃષ્ણ પાસે કંઈક માગે છે અને તેના દ્વારા આપણને પણ શીખવે છે કે જ્યારે પ્રભુ પ્રસન્ન થાય ત્યારે એમની પાસે શું માગવું!

પરમાનંદદાસજી કુલ ૧૦ બાબતો માગે છે. સૌથી પ્રથમ તો કહે છે કે હે શ્રી ગોપીજનવલ્લભ પ્રભુ, મને હંમેશા મનુષ્ય જન્મ આપજો; કારણ મનુષ્ય જન્મમાં જ પ્રભુની ભક્તિ થઈ શકે છે. ૮૪ લાખ યોનિઓમાં બીજી કોઈ યોનિમાં પ્રભુની ભક્તિ થઈ શકતી નથી.

કવિ મનુષ્ય જન્મ શા માટે માગે છે? હરિસેવા માટે. મનુષ્ય જન્મ ધરીને હું પ્રભુની સેવા કરું. મારું સમગ્ર જીવન શ્રીહરિની સેવામાં વિતાવું. શ્રીહરિસેવા એ જ મારા જીવનનું ધ્યેય. સેવા દ્વારા પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરું.

ત્રીજી બાબત કવિ માગે છે એ છે વ્રજવાસ. હંમેશા વ્રજમાં વસવાનું મને સુલભ થાય. વ્રજમાં રહીને વ્રજરાજ અને વ્રજભક્તોની લીલાનાં દર્શન, ગુણગાન કરું. વ્રજભક્તો જેવો ભાવપ્રેમ મને પ્રાપ્ત થાય.

ચોથી વસ્તુ માગે છે શ્રીવલ્લભકુલના સેવક થવાની. શ્રીવલ્લભના પુષ્ટિમાર્ગમાં શ્રીવલ્લભકુલ દ્વારા દીક્ષિત થઈ તેમનો આશ્રિત બનું. તેમની કૃપા પ્રાપ્ત કરું.

શ્રીવલ્લભ જેવા સમર્થ સ્વામીને પ્રાપ્ત કરી, તેમના સેવક અન્ય વૈષ્ણવોનો એટલે કે આપના અનન્ય ભક્તોનો પણ હું દાસ થાઉં, એવી મનોકામના કવિ અહીં વ્યક્ત કરે છે.

વ્રજવાસ કરીને રહેવા સાથે નિત્ય શ્રીયમુનાજીમાં સ્નાન કરવાની પણ કવિ અહીં અભિલાષા સેવે છે. કૃપાશક્તિ સ્વરૂપા શ્રીયમુનાજીનાં દર્શન અને એમનાં જલમાં સ્નાન કરી શ્રીયમુનાજીના કૃપાપાત્ર બનવા ઈચ્છે છે.

હંમેશા મનકર્મ અને વચનથી કૃષ્ણના જ ગુણ ગાઉં એમ કહીને પરમાનંદદાસજી શ્રીકૃષ્ણ પ્રત્યે પોતાની અનન્યતા પ્રગટ કરે છે.

શ્રીકૃષ્ણના નામ સ્વરૂપ એવા શ્રીમદ્ ભાગવતજીની કથા નિત્ય શ્રવણ કરું અને શ્રીકૃષ્ણમાં તથા કૃષ્ણલીલાના શ્રવણમાં મારું ચિત્ત સદા લાગેલું રહે એવું પણ પરમાનંદદાસજી માગે છે.

તેઓ પ્રભુને વિનંતી કરે છે કે મારું ચિત્ત આપની લીલાના ચિંતન સિવાય અન્ય બાબતમાં ગૂંથાયેલું ન રહે એવી કૃપા આપ કરો.

છેલ્લે પરમાનંદદાસજી કહે છે કે પ્રભુ, આપનાં દર્શન માટે તાલાવેલી, પ્યાસ સદા દીલમાં રહે. નયનો આપનાં સ્વરૂપને નિરખે છતાંય અતૃપ્ત જ રહે, એવી કૃપા આપ કરો.

આમ પરમાનંદદાસજી શ્રીગોપીજનવલ્લભ પ્રભુને વિનંતી કરી પ્રભુ પાસે મનુષ્ય જન્મ, હરિસેવા, વ્રજવાસ, શ્રીવલ્લભનું શરણ, વૈષ્ણવજનોનું દાસપણું, શ્રીયમુનાસ્નાન, કૃષ્ણનાં ગુણગાન, શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ, ચિત્તની અનન્યતા અને પ્રભુ દર્શનની તીવ્ર લાલસા બની રહે તેવું માગે છે.

ગંગા પતિતનકો સુખ દેની

(રચનાઃ પરમાનંદદાસજી)


(રાગઃ બિભાસ)

ગંગા પતિતનકો સુખ દેની ।

સેવા કર ભગીરથ લાયે પાપ કાટનકો પેની ।।૧।।

સકલ બ્રહ્માંડ ફોરકે આવત ચલત ચાલ ગજગેની ।

પરમાનંદ પ્રભુ ચરણ પરસતેં ભઈ કમલદલનયની ।।૨।।


આ પદમાં પરમાનંદદાસજી ગંગાજીનો મહિમા વર્ણવે છે. ગંગાજી પતિતોપાપીઓને સુખ દેનારાં છે. ગંગાસ્નાનથી અનેક જન્મોનાં પાતકો દૂર થાય છે.

ગંગાજી તો સ્વર્ગની સરિતા. શ્રી વિષ્ણુ ભગવાનનાં ચરણકમલમાંથી પ્રગટેલાં ચરણપદ્મજા. ભૂતળ ઉપર તેમને લાવનાર ભગીરથ રાજા. પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે અયોધ્યાના આ સૂર્યવંશી રાજાએ ગંગાજીને ભૂતલ ઉપર પધરાવ્યાં હતાં. ઈક્ષ્વાકુ વંશના સગર રાજાના ૬૦,૦૦૦ પુત્રો અશ્વમેધ યજ્ઞનો ઘોડો સાચવતા તેની પાછળ જતા હતા. આ ઘોડાને પાતાળમાં લઈ જવામાં આવ્યો, ત્યારે બધા પુત્રો પૃથ્વી ખોદીને પાતાળમાં ગયા. ત્યાં તેમણે ધ્યાનમાં બેઠેલ કપિલ મુનિનું અપમાન કર્યું. કપિલ મુનિ ક્રોધિત થયા અને એ ક્રોધથી બધા ભસ્મીભૂત થઈ ગયા.

ઘણાં વર્ષો પછી સગર રાજાના પૌત્ર અંશુમાન રાજા તેના કાકાઓની શોધમાં નીકળ્યા. કપિલ મુનિના શાપથી બધા ભસ્મીભૂત થયા છે એ જાણી અંશુમાન રાજાએ મુનિને વિનંતી કરી કે એ ૬૦,૦૦૦ ને માફી આપો.

કપિલ મુનિએ કહ્યું, ‘તમારા દીકરાના દીકરાનો દીકરો ભગીરથ રાજા થશે. તે ગંગાજીને પ્રસન્ન કરી ભૂતળ ઉપર લાવશે. ગંગાજીની સહાયથી એ ભસ્મીભૂત પુત્રોનો ઉદ્ધાર થશે.’

ભગીરથ રાજાએ ગંગાજીને પ્રસન્ન કરવા હજારો વર્ષો સુધી તપ કર્યું. તપથી ગંગાજી પ્રસન્ન થતાં તેમને પૃથ્વી ઉપર પધારવા વિનંતી કરી. ગંગાજીએ પૃથ્વી ઉપર આવવાનું કબુલ્યું. ત્યારે પ્રશ્ન થયો કે ગંગાજીના ધસમસતા પ્રવાહને પૃથ્વી ઉપર ઝીલશે કોણ? કારણ કે એ પ્રવાહ સીધો પૃથ્વી ઉપર પડે તો પૃથ્વીને ચીરી નાખે. ભગીરથે શિવજી પાસે જઈ ગંગાના પ્રવાહને ઝીલવા વિનંતી કરી. શિવજીએ સંમતિ આપી. ગંગાજીને ઝીલવા તેઓ ઊભા રહ્યા. ગંગાજી આકાશમાંથી નીચે પધાર્યાં. ભગીરથ જ્યાં તપ કરતા હતા ત્યાં જલબિંદુઓ પડ્યાં અને ગંગાજીના જળથી ત્યાં બિંદુસાર નામનું સરોવર રચાયું. તેમાં ગંગાજી પુરાઈ ગયાં અને તેમના સ્પર્શથી સગર રાજાના ૬૦,૦૦૦ પુત્રોનો ઉદ્ધાર થયો. બધા સ્વર્ગમાં ગયા.

આ પૌરાણિક આખ્યાયિકાનો ઉલ્લેખ કરીને પરમાનંદદાસજી કહે છે કે ભગીરથ રાજા તપ કરી, સેવા કરી, ગંગાજીને સર્વ જીવોના પાપ દૂર કરવા માટે ભૂતલ ઉપર લાવ્યા છે. ગંગાજી સકલ બ્રહ્માંડને ચીરીને પૃથ્વી ઉપર પધાર્યાં છે અને ગજગતિ ચાલે આવી હિમાલયથી વહેતાં વહેતાં છેક બંગાળના ઉપસાગર સુધી પ્રવાસ કરે છે. અનેક પતિત લોકોને પાવન કરતાં રહે છે.

ગંગાજીમાં પતિતોને પાવન કરવાની આ શક્તિ ક્યાંથી આવી? તો પરમાનંદદાસજી કહે છે કે પ્રભુનાં ચરણમાંથી પ્રગટ્યાં હોવાથી, પ્રભુનાં ચરણનો સ્પર્શ થવાથી આ કમલદલ જેવાં નયનવાળાં ગંગાજી પતિતપાવની બન્યાં છે.

આવાં શ્રીગંગાજીનો મહિમા ભક્તો ગંગાદશહરાના દસ દિવસ ગાય છે અને શ્રીયમુનાજીની સાથે તેમને પણ યાદ કરે છે.

શ્રીમહાપ્રભુજીની વધાઈ – શ્રીવલ્લભ તજ અપનો ઠાકુર કહો કોનપેં જઇએ હો

(રચનાઃ શ્રીહરિરાયજી)

(રાગઃ આસાવરી)

શ્રીવલ્લભ તજ અપનો ઠાકુર કહો કોનપેં જઇએ હો ।

સબ ગુણ પૂરણ કરુણાસાગર જહાં મહારસ પૈયે હો ।।૧।।

સુરત હી દેખ અનંગ વિમોહિત તન મન પ્રાન બિકૈયે હો ।

પરમ ઉદાર ચતુર સુખ સાગર અપાર સદા ગુન ગૈયે હો ।।૨।।

સબહિનતે અતિ ઉત્તમ જાની ચરનપર પ્રીત બઢૈયે હો ।

કાન ન કાહૂકી મન ધરિયે વ્રત અનન્ય એક ગ્રહિયે હો ।।૩।।

સુમર સુમર ગુન રૂપ અનુપમ ભવદુઃખ સબ વિસરૈયે હો ।

મુખ વિધુ લાવણ્ય અમૃત ઇક ટક પીવત નાહિ અઘૈયે હો ।।૪।।

ચરનકમલકી નિશદિન સેવા અપને હૃદે બસૈયો હો ।

રસિક કહે સંગીનસો ભવોભવ ઇનકે દાસ કહૈયે હો ।।૫।।

શ્રીહરિરાયજી રચિત આ પદ આપણને શ્રીમહાપ્રભુજીના ચરણકમલનો દ્રઢ આશ્રય રાખવા સમજાવે છે. શ્રીવલ્લભ જેવા સ્વામીને છોડીને અન્યનો આશ્રય શા માટે ન કરવો જોઇએ તે સમજાવે છે.

આપશ્રી કહે છે કે શ્રીવલ્લભ સર્વ ગુણોથી પૂર્ણ અને કરુણાના સાગર સમાન છે. જેમ સાગરમાં પુષ્કળ જળ હોય તેમ આ કરુણાસાગર એવા શ્રીવલ્લભમાં શ્રીપ્રભુનો પૂર્ણ પ્રેમરસ ભરેલો છે. આપશ્રીનું સૌંદર્ય એવું છે કે એ અલૌકિક સૌંદર્યના દર્શનથી અનંગ એટલે કે કામદેવ પણ મોહિત થઇ જાય છે. આવા શ્રીવલ્લભ ઉપર આપણા તન, મન, પ્રાણ ન્યોછાવર કરી દઇએ.

શ્રીવલ્લભ પરમ ઉદાર છે. ચતુર છે. સુખના સાગરરૂપ છે. આવા અપાર ગુણોથી શોભતા શ્રીવલ્લભના ગુણ સદા ભગવદીયો ગાય છે. શ્રીવલ્લભને સૌથી ઉત્તમ ગુરુ માની, સાક્ષાત્ કૃષ્ણસ્વરૂપ માની એમના ચરણોમાં પ્રીતિ રાખે છે. અનન્ય ટેક રાખી શ્રીવલ્લભનો જ આશ્રય રાખે છે. અન્ય કોઇની વાત માનતા નથી. માત્ર વલ્લભના ગુણોને યાદ કરી કરીને, આપશ્રીના અનુપમ સ્વરૂપની અલૌકિકતાને સ્મરીને  યાદ કરીને  પોતાના આ સંસારના સર્વ દુઃખોને ભગવદીયો ભૂલી જાય છે. આવા શ્રીવલ્લભને તજીને કહો કોના શરણે જઇશું?

શ્રીવલ્લભના મુખારવિંદ રૂપી ચંદ્રના લાવણ્યનું પાન કરતાં, એકીટશે આપશ્રીના મુખારવિંદનું દર્શન કરતાં ભક્તો ધરાતાં નથી. શ્રીવલ્લભના ચરમકમલની સેવા નિશદિન પોતાને પ્રાપ્ત થાય એવી અભિલાષા ભક્તો રાખે છે. શ્રીવલ્લભના ચરણકમળ પોતાના હૃદયમાં નિરંતર વસે એવી ભાવના રાખે છે. એટલું જ નહિ પણ શ્રીહરિરાયજી પોતાના સંગી એવા ભગવદીયોને કહે છે કે આપણને તો માત્ર આ જન્મે જ નહિ પણ ભવોભવ  દરેક જન્મમાંશ્રીવલ્લભના જ દાસ થવાનું મળે, દરેક જન્મમાં શ્રીવલ્લભ જ આપણા સ્વામી તરીકે મળે અને આપણે એમના દાસ કહેવાઇએ. અલૌકિક ગુણોથી સભર ભરેલા, કૃષ્ણરસથી ભરેલા, પરમ ઉદાર, કરૂણાના સાગર, શ્રીકૃષ્ણની અલૌકિક શોભાને ધારણ કરનારા, ચતુર ચિંતામણિ સ્વરૂપ શ્રીવલ્લભ સ્વામી તરીકે પ્રા થયા પછી અન્યનો આશ્રય કરવાની શું જરૂર છે!

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી