।। મધુરાષ્ટકમ્ ।।
રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી
(છંદઃ તોટક)
[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Adharam-Madhuram_Rupa-Gandhi.mp3|titles=Adharam Madhuram_Rupa Gandhi](સ્વરઃ રૂપા ગાંધી)
[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Madhurastakam.mp3|titles=Madhurastakam](સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ)
સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા.
અધરં મધુરં વદનં મધુરં, નયનં મધુરં હસિતં મધુરમ્ ।
હૃદયં મધુરં ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૧।।
હોઠ મધુર છે. મુખ મધુર છે. આંખ મધુર છે. હાસ્ય મધુર છે. હૃદય મધુર છે. ગમન મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૧)
વચનં મધુરં ચરિતં મધુરં, વસનં મધુરં વલિતં મધુરમ્ ।
ચલિતં મધુરં ભ્રમિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૨।।
વચન મધુર છે. ચરિત્ર મધુર છે. વસ્ત્ર મધુર છે. ચેષ્ટાઓ મધુર છે. ચાલ મધુર છે. ભ્રમણ મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૨)
વેણુર્મધુરો રેણુર્મધુરઃ, પાણિર્મધુરઃ પાદૌ મધુરૌ ।
નૃત્યં મધુરં સખ્યં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૩।।
પ્રભુની વેણુ, ચરણની રજ, શ્રીહસ્ત, ચરણારવિંદ, નૃત્ય અને મૈત્રી બધું જ મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૩)
ગીતં મધુરં પીતં મધુરં, ભુક્તં મધુરં સુપ્તં મધુરમ્ ।
રૂપં મધુરં તિલંક મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૪।।
ગીત (ગાવાનું) મધુર છે. પીવાનું મધુર છે. ખાવાનું મધુર છે. શયન મધુર છે. સ્વરૂપ મધુર છે. તિલક મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૪)
કરણં મધુરં તરણં મધુરં, હરણં મધુરં રમણં મધુરમ્ ।
વમિતં મધુરં શમિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૫।।
કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, રમવું મધુર છે, વમન મધુર છે, શાંત થવું મધુર છે, મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૫)
ગુંજા મધુરા માલા મધુરા, યમુના મધુરા વીચી મધુરા ।
સલિલં મધુરં કમલં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૬।।
ગુંજા મધુર છે. માળા મધુર છે. શ્રીયમુનાજી અને તેમાં ઉઠતા વીચી એટલે કે તરંગો મધુર છે. શ્રીયમુનાજીનું જળ (સલિલ) અને તેમાં ઊગેલા કમળ મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૬)
ગોપી મધુરા લીલા મધુરા, યુક્તં મધુરં મુક્તં મધુરં ।
દૃષ્ટં મધુરં શિષ્ટં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૭।।
શ્રીકૃષ્ણનાં ગોપીજનો અને તેમની બાલલીલાઓ મધુર છે. તેમની યુક્તિઓ અને સંયોગ મધુર છે. મુક્તિ મધુર છે. તેમનું અવલોકન અને શાસન પણ મધુર છે. મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૭)
ગોપા મધુરા ગાવો મધુરા, યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા ।
દલિતં મધુરં ફલિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૮।।
શ્રીકૃષ્ણના સખાઓ ગોપબાલકો, ગોચારણમાં પ્રભુની સાથે જતી ગાયો, ગાયોને હાંકવા માટે વપરાતી લાકડી, પ્રભુની ગોકુલ-વ્રજની દૈવી સૃષ્ટિ, પ્રભુ દ્વારા થયેલું અસુરોનું દલન (દલન એટલે દૈત્યોને મારવાની ક્રિયા), પ્રભુએ વ્રજભક્તોને કરેલું ફલદાન તેમજ મધુરતાના અધિપતિ એવા શ્રીકૃષ્ણનું સર્વ કાંઈ મધુર છે. (૮)