શ્રીનાથજીનું વદનકમળ

શ્રીનાથજીનું વદનકમળ (રચનાઃ ભક્તકવિ દયારામ) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shri-Nathji-Nu-Vadankamal_Rupa-Gandhi.mp3|titles=Shri Nathji Nu Vadankamal_Rupa Gandhi] (સ્વરઃ રૂપા ગાંધી) જેણે એકવાર શ્રીનાથજીનું વદનકમળ જોયું. મનુષ્ય દેહ ધર્યો તેનો સફળ છે, જન્મ મરણ દુઃખ ખોયું….જેણે૦ કોટિ કલ્પનું મેલું થયેલું મન, એક પલકમાં ધોયું….જેણે૦ મેવાડ દેશમાં બિરાજે મારો વહાલમો, શેષ શંકરે ચિત્ત પ્રોયું….જેણે૦ કમળ ચોક રતન ચોક જગમોહન જોયું, રળ્યો એક બાકી સર્વે…

શ્યામ રંગ સમીપે ન જાવું

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shyam-Rang-Samipe_Rupa-Gandhi.mp3|titles=Shyam Rang Samipe_Rupa Gandhi] (રચનાઃ ભક્તકવિ દયારામ) (સ્વરઃ રૂપા ગાંધી) શ્યામ રંગ સમીપે ન જાવું મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સહુ એક સરખું, સર્વમાં કપટ હશે આવું… મારે૦ કોકિલાનો શબ્દ હું સુણું નહિ કાને, કાગવાણી શકુનમાં ન લાવું… મારે૦ નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમુનાના નીરમાં ન નહાવું……

ભગવદી! દુઃખ માં ધરશો રે

ભગવદી! દુઃખ માં ધરશો રે, ધીરજ ધરી ભજતાં ઠરશો. (ટેક) દુઃખ માં ધરશો, કૃષ્ણ સ્મરશો, તો ભવ-દધિ સદ્ય તરશો રે, ગુણ ઘણો છે દુઃખ સહ્યામાં, કરવો એમ વિચાર રે; નહિ તો ભક્તનું દુઃખ સહે કેમ, સમર્થ કરુણાસાગર. (૧) સકળ સંતાપ નિવારે, એક હરિનું નામ રે; હરિ રટાય નિત્ય તદપિ મટે નહિ, તો ગમતું ઘનશ્યામ. (૨)…