શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી

(રસાસ્વાદઃ શ્રી રમેશભાઈ પરીખ, મહેસાણા) શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી, હૃદય-પુલિન અંતઃ બંસીબટ;રોમ કદંબ કી છાઁહી. (૧) અનન્યતા અંબર, ભાવ-ભૂષણ,વિપ્રયોગ કી ગલબાંહી;સર્વાત્મ કી શિશ બેની સોહે,પ્રતિબિંબિત દીનતા દર્પણ માંહી. (૨) મત્તમયૂર નાચે મન મધુર,દેખી રૂપ ભર્યો ઠાંહી;લે ચલ સખીરી વે વૃંદાવન,શ્રીવલ્લભચરણ સરોવર જાઁહી. (૩)          “વલ્લભ” એટલે વહાલા. “શ્રી”ના તો અનેક અર્થ. શ્રીસ્વામિનીજી, વ્રજભક્તો, શ્રીઠાકોરજી –…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૮)

મધુર અંગ આભૂષન ભૂષિત, મધુર ઉર સ્થલ રૂપ સમાજ । અતિ વિસાલ જાનુ અવલંબિત, મધુર બાહુ પરિરંભન કાજ ॥૫॥ મધુર ઉદર, કટિ મધુર, જાનુ યુગ મધુર, ચરનગતિ સબ સુખ રાસ । મધુર ચરન કી રેનુ નિરંતર, જનમ જનમ માંગત ‘હરિદાસ’ ॥૬॥ હવે પાંચમી અને છઠ્ઠી કડીમાં શ્રીવલ્લભના શેષ શ્રીઅંગની માધુરી શ્રીહરિરાયજી વર્ણવે છે. ‘મધુર અંગ…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૭)

મધુર કટાક્ષ કૃપારસપૂરન, મધુર મનોહર બચન બિલાસ । મધુર ઉગાર દેત દાસનકો, મધુર બિરાજત મુખ મૃદુ હાસ ।।૪।। હવે આ ચોથી કડીમાં શ્રીવલ્લભના મધુર મુખારવિંદની ચાર મધુર લીલાઓ વર્ણવે છે. ૧. ‘મધુર કટાક્ષ કૃપારસપૂરન.’ આપ નેત્રોથી ભક્તો પ્રત્યે મધુર, પૂર્ણ કૃપારસકટાક્ષ કરી રહ્યાં છે. કૃપારસનું સીંચન કરવું એ આપનો મુખ્ય ગુણ છે – સ્વભાવ છે.…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૬)

અધર મઘુર રસ રૂપ મધુર, છબિ મધુર દોઉ લલિત કપોલ । મધુર શ્રવન કુંડલનકી ઝલકન, મધુર મકર માનૌં કરત કલોલ ।।૩।। અતિમધુર નાસિકાની  નીચે છે ‘અધર મધુર, રસરૂપ મધુર’. જેને ધારણ કરી શકાય નહી, સંઘરી શકાય નહી, તે અધર. આ અધર પર સદા બિરાજમાન છે ભગવદ્ ભોગ્યા સુધા. આ અધરોની મહોદારતા એમાં છે કે અતિ…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૫)

(લેખાંક : ૫) મધુર ભાલ અરુ તિલક મધુર, અતિ મધુર નાસિકા કહી ન જાત. શ્રીવલ્લભના ‘મધુર ભ્રોંહયુગ’ અને ‘મધુર અલકનકી પાંત’ની વચ્ચે ‘મધુર ભાલ અરુ તિલક મધુર’ શોભે છે. ભાલની મધુરતા એની વિશાળતા અને તેજસ્વીતાથી હોય છે. શ્રીવલ્લભનું લલાટ વિશાળ અને તેજસ્વી છે. ભાલ મગજનું બાહ્ય આવરણ છે. મગજ બુદ્ધિનું સ્થાન છે. શ્રીવલ્લભની જ્ઞાન પ્રતિભા,…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૪)

(લેખાંક : ૪) મધુર બચન ઔર નયન મધુર ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત ।   અત્યાર સુધીમાં આપણે આ કીર્તનની પહેલી કડીનું રસપાન કર્યું. હવે શરૂ થાય છે બીજી કડી. પ્રારંભમાં કહે છે : “મધુર બચન”. દર્શન પૂર્વે વચનામૃતનું શ્રવણ થયું છે. શ્રીવલ્લભની વાણી સુ-મઘુર છે. જે વાણીમાં કોમળતા, ઓજસ્વિતા, પ્રસન્નતા અને મીઠાશ હોય તે…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૩)

(૩) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । સદા બસો મન યહ જીવનધન, સબહીન સોં જુ કહત હૌં ટેરે । શ્રીહરિરાયજી પ્રભુચરણે આ કીર્તનની પ્રથમ પંક્તિમાં શ્રીવલ્લભ-નામ અને શ્રીવલ્લભ-સ્વરૂપની મધુરતાનો પરિચય આપણને કરાવ્યો. પોતાના આવા મધુરાકૃતિ શ્રીવલ્લભને, શ્રીહરિરાયજી હવે બીજી પંક્તિમાં ‘જીવનધન’ કહે છે. જીવન અને ધન વિશેના દૃષ્ટિકોણ શાસ્ત્રતત્વ અને મર્મજ્ઞોના પણ એક નથી, ત્યાં આપણી સામે…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૨)

(૨) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । શ્રીવલ્લભનામની મધુરતા વિશે આપણે જોયું. હવે શ્રીવલ્લભ સ્વરૂપની મધુરતાનું શ્રીહરિરાયચરણે કરેલું વર્ણન જોઇશું. શ્રીહરિરાયજી કહે છે: ‘શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે.’ શ્રીવલ્લભ ‘મધુરાકૃતિ’ છે. મધુરાકૃતિ શબ્દની સંઘિ બે રીતે છૂટી પડે છે. (૧) મધુર + આકૃતિ (૨) મઘુરા + આકૃતિ. આ શબ્દનો સમાસ છૂટો પાડીએ તો (૧) મધુર છે આકૃતિ જેમની (૨)…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૧)

રચના : શ્રીહરિરાયજી ભાવાર્થ : શ્રી રમેશભાઈ પરીખ (રાગ-બિહાગ) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । સદા બસોમન યહ જીવનધન, સબહીનસૌં જુ કહત હૈં ટેરે ।।૧।। મઘુર વદન અતિ મઘુર નયન, ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત । મધુર ભાલ અરુ તિલક મઘુર, અતિ મધુર નાસિકા કહી ન જાત ।।૨।। મધુર અધર રસરૂપ  મધુર  છબિ, મધુર અતિ લલિત કપોલ…

શ્રીગોકુલ ગામકો પેંડો હી ન્યારો

શ્રીગુસાંઇજીનું પદ (રચનાઃ શ્રીમાધવદાસજી) (રાગઃ ભૈરવ) શ્રીગોકુલ ગામકો પેંડો હી ન્યારો, મંગલરૂપ સદા સુખદાયક દેખિયત તીન લોક ઉજિયારો (૧) જહાં વલ્લભ સુત અભય વિરાજત, ભક્તજનન કે પ્રાણન પ્યારો, ‘માધોદાસ’ બલ બલ પ્રતાપબલ શ્રીવિઠ્ઠલ સર્વસ્વ હમારો (ર) ભાવાર્થઃ જે શ્રીગોકુલ ગામને શ્રીઠાકોરજીએ અને શ્રીગુસાંઇજીએ સનાથ કર્યું છે. તેની રીતભાત (પંડો) જુદી જ છે. કારણ, અહીં શ્રીવલ્લ્ભરાજકુમાર…